મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે કસોટીમાં ભાગ લેવા મોરબીના લોકોને આહ્વાન કર્યું છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધો. 6 થી 8 અને ધો. 9 થી 12 એમ બે કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને ભારત કો જાનોબૂક ટોકન ફી થી આપવામાં આવશે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. અને આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર લેનારા બાળકોને મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવશે. અને કોઈપણ શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે જણાવવા જણાવ્યુ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા માટેની લેખિત પરીક્ષા શાળામાં ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં અને મૌખિક કસોટી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાખવામા આવશે. અને આગામી દિવસોમાં તેના માટે ફાઈનલ તારીખ અને સમયની જાણ સંસ્થા કરશે. અને વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા જણાવવા માટે હરદેવભાઈ ડાંગર (97273 67555), ચેતનભાઈ સાણંદિયા (99740 35174), રાવતભાઈ કાનગડ (99243 69094) નો સંપર્ક કરવા હિરેનભાઈ ધોરિયાણી, ધ્રુમિલભાઈ આડેસરા અને હિંમતભાઈ મારવણિયાએ જણાવ્યુ છે






Latest News