મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન


SHARE













મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ ભારત કો જાનોકસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે કસોટીમાં ભાગ લેવા મોરબીના લોકોને આહ્વાન કર્યું છે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ધો. 6 થી 8 અને ધો. 9 થી 12 એમ બે કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્પર્ધામાં ભાગ લેનારા બાળકોને ભારત કો જાનોબૂક ટોકન ફી થી આપવામાં આવશે. જેમાંથી બાળકો લેખિત પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. અને આ બુકમાંથી શાળા લેવલે લેખિત પરીક્ષા યોજવામાં આવે છે જેમાં પ્રથમ અને દ્વિતીય નંબર લેનારા બાળકોને મોરબી શાખા કક્ષાએ અન્ય શાળાઓનાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ બાળકો સાથે મૌખિક કસોટી (ક્વિઝ) યોજવામાં આવશે. અને કોઈપણ શાળામાંથી આ પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા વહેલી તકે જણાવવા જણાવ્યુ છે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમજ મૌખિક કસોટીમાં વિજેતા થનારને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે અને એ ટીમ આગળ પ્રાંત સ્તરે સ્વખર્ચે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધા માટેની લેખિત પરીક્ષા શાળામાં ઓગસ્ટનાં પહેલા સપ્તાહમાં અને મૌખિક કસોટી ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં રાખવામા આવશે. અને આગામી દિવસોમાં તેના માટે ફાઈનલ તારીખ અને સમયની જાણ સંસ્થા કરશે. અને વિદ્યાર્થીઓની યાદી તથા સંખ્યા જણાવવા માટે હરદેવભાઈ ડાંગર (97273 67555), ચેતનભાઈ સાણંદિયા (99740 35174), રાવતભાઈ કાનગડ (99243 69094) નો સંપર્ક કરવા હિરેનભાઈ ધોરિયાણી, ધ્રુમિલભાઈ આડેસરા અને હિંમતભાઈ મારવણિયાએ જણાવ્યુ છે






Latest News