પ્લાસ્ટિક મુક્ત મોરબી: મનપાની માય થેલી ઇવેન્ટને લોકોનો સારો પ્રતિસાદ
મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખની આગેવાનીમાં ડેડીયાપાડાની ઘટનાને ધ્યાને રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
SHARE
મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખની આગેવાનીમાં ડેડીયાપાડાની ઘટનાને ધ્યાને રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
મોરબી જિલ્લા બાર એસો. ના પ્રમુખ ચેતનભાઈ સોરીયાની આગેવાની હેઠળ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં લખ્યું છે કે, વકીલ કાયદાની ભાષામાં એડ્વોકેટ એક્ટ મુજબ ઓફિસર ઓફ ધ કોર્ટ છે. અને ઓફિસર ઓફ ધ કોર્ટને કોર્ટમાં પ્રવેશતા રોકવાએ બંધારણીય હક્કો પર તરાપ મારવા સમાન છે અને તાજેતરમાં ડેડીયાપાડામાં પોલીસ દ્વારા વકીલ સાથે કરેલું બેહુદુ વર્તન જરા પણ ચલાવી શકાય તેમ નથી. જેથી કરીને પોલીસ દ્વારા બંધારણના અનુચ્છેદ-19નું સરેઆમ ઉલ્લંઘન અને એડ્વોકેટ એક્ટ 1961ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં પોલીસ કોઈ વકીલ સાથે આવું વર્તન ન કરે તે માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તેવી માંગ કરવામાં આવે છે અને આવેદનપત્ર આપીને આ કૃત્ય કરનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ સરકાર સમક્ષ કરવામાં આવેલ છે.