મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને મળ્યા ૧૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો, નિમણૂંકપત્રો એનાયત


SHARE













મોરબી જિલ્લાને મળ્યા ૧૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો, નિમણૂંકપત્રો એનાયત

રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૮-૭-૨૫ ના રોજ મોરબી જિલ્લામા ધી વી.સી.ટેક.હાઇસ્કૂલ ખાતે ૧૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૧૭ જેટલા નવનિયુક્ત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.મેરીટ આધારિત આ ભરતીમા ૧૮ માથી ૧૭ શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાઓના ટ્રસ્ટીઓ, આચાર્યો, આચાર્ય સંધના પ્રમુખ તેમજ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને શાળાઓ અને વિદ્યાર્થીઓના વિકાસમા પોતાની આવડતનો ઉપયોગ કરવા તેમજ બોર્ડના પરીણામોમાં વિજ્ઞાન પ્રવાહમાં જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર-૧ બનાવવાની શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.શાળાઓના ટ્રસ્ટીઓ અને આચાર્ય સંધના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામા આવ્યુ હતુ. નવનિયુક્ત શિક્ષકો દ્વારા પણ તેમના પ્રતિભાવ જણાવવામા આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન એજ્યુકેશન ઈન્સ્પેકટર પ્રવીણભાઈ અંબારીયાએ કર્યું હતું.






Latest News