મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું


SHARE











મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ ખાતે મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયા હાજર રહ્યા હતા. તેઓની સાથે જ ડૉ. રમેશ કૈલા, મિલનભાઈ વ્યાસ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતા, એમસીએ ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રો. નિખિલ દવે, જીટીયુ કોઓર્ડિનેટર પ્રો.મેહુલ વાળા, પ્રો.ચંદ્રેશ પોપટ, અને પ્રો. અઘેરાએ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને વિદ્યા દેવીની વંદના સાથે કરવામાં આવી હતી. તમામ અધ્યક્ષગણ અને પ્રોફેસર્સે વિદ્યાર્થીઓને સંસ્થાની શૈક્ષણિક ઉન્નતિ, અભ્યાસક્રમો, અને ભવિષ્યની તકોથી અવગત કરાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને કારકિર્દી માટે વિઝન વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ કોર્સ ઓફર કરવામાં આવે છે જેમ કે:
BBA, MBA, BCA, MCA, BHMS, BPT, BPHARM, DPHARM, Nursing (B.Sc., GNM, ANM), BED, LLB, B.Sc. Science વગેરે.

સંપર્ક માટે:
 www.aryatej.co.in
 +91 95124 10070
 Instagram / Facebook






Latest News