મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ


SHARE















મોરબી : ઈન્દિરાનગરની વિપુલનગર સોસાયટીઓમાં વરસાદી પાણીના નીકાલ માટે ૨૪ કલાકનું અલ્ટીમેટમ

આમ આદમી પાર્ટી  મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો ધણાં સમયથી હતા અત્યારની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટરની સુવિધા નથી અને વધુુ સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેમાં સેવાળ તથા માખી-મચ્છર અને જીણી જીવાતો પણ છે.આ સોસાયટીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી.આ સોસાયટીના રહીશો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં નઝર અંદાજ કરતા હતા પણ હવે આમ આદમી પાર્ટીના જીલ્લા ટીમ દ્વારા આ સોસાયટીના રહીશોને સાથે રાખીને મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર ઓફિસ મહેન્દ્રનગર ખાતે લેખીતમાં આપીને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.સાથે સાથે ૨૪ કલાકમાં આ વાજબી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.તેવું અલ્ટીમેટમ પણ તંત્રને આપ્યું છે અને તે બાબતની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી આપ આગેવાનોએ ઉચ્ચારી હતી




Latest News