મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યામોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને આઠ વ્યક્તિઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર નાએન્ટરપ્રાઇઝ નજીક રહેતા કાળુ બલ્લુરામ સોટ (38) નંદરામ આદિવાસી (39), શિવા ચંદ્રભાન સોટ (22), રાકેશ આદિવાસી (28), રાજેન્દ્ર નંદરામ સોટ (19) નારાયણ સોટ (50), રાહુલ નારાયણ સોટ (20) અને સુનીતાબેન લેખરામ (27) નામના આઠ વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.

જુદાજુદા અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિરુદ્ધસિંહ ગોપાલસિંહ ઝાલા (60) નામના વૃદ્ધ જ્ઞાનપથ સ્કૂલ પાસેથી બાઈકમાં જતાં હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો આવી જ રીતે મોરબીના શનાળા રોડ પર રહેતા નકુમ ભવાનભાઈ દાનાભાઈ બાઈકમાં ઉમા રેસીડેન્સી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. તો મોરબીમાં રવાપર ચોકડી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને રંજનબેન ભગવાનભાઈ કારીયા (80) નામના વૃદ્ધા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેઓને મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.








Latest News