ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા


SHARE













મોરબી-માળિયાના ગામડાઓને જોડતા રસ્તો ઉપર 8 નવા નાના પુલિયા મંજૂર: કાંતિભાઈ અમૃતિયા

મોરબી અને માળીયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં જુદાજુદા આઠ નાના પુલિયા માટેની દરખાસ્ત સરકારમાં કરવામાં આવી હતી અને ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઈને સરકારે કુલ મળીને 8 નવા નાના પુલિયા મંજૂર કર્યા છે જેથી કરીને 11 કરોડના ખર્ચે નવા નાના પુલિયા બનશે.

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સરકારમાં જુદાજુદા ગામને જોડતા જૂના  અને સાંકડા પુલિયાની જગ્યાએ નવા નાના પુલિયા બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા (મી) તાલુકામાં રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ રોડનો એક ભાગ, રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢનો બીજો ભાગ, ખાખરેચી-વેણાસર રોડ, માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ, એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ, સ્ટેટ હાઇવેથી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ ઉપર જે હયાત કોઝવે તથા સાંકળ નાલા હતા ત્યાં નવા નાના પુલિયા બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવેલ છે અને તેના માટે 11 કરોડના ખર્ચે નવા નાના પુલિયા બનાવવામાં આવશે. અને નવા પુલિયા બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકો અને ગ્રામજનોની સુવિધામાં વધારો થશે.  






Latest News