મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ


SHARE













વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ

વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગઇકાલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં અવાયું હતું અને શહેર તથા તાલુકામાં બિસ્માર રોડ રસ્તા, તૂટી ગયેલ પુલ, જોખમી પુલ, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, ખનીજ ચોરી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

વાંકાનેર નજીક રતિદેવરી તરફ જવાના રસ્તા ઉપર એક વર્ષ પહેલા પુલ તૂટી ગયેલ છે તેનું હજુ સુધી રિપેરિંગ થયેલ નથી, તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા બિસ્માર છે, સિંધાવદરનો પુલ જોખમી છે તેમજ પીજીવીસીએલ, ખાતર, ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, જંગલી પશુથી પાકને નુકશાન, ખનીજ ચોરી, ઓવરલોડ ડમ્પર સહિતની સમસ્યાઓ દૂર કરવા માટે અને જડેશ્વરથી અમરસર જતાં રોડના નબળા કામ બાબતે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મહમદજાવિદ પીરજાદાની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી તેમજ શહેરમાં બિસ્માર રોડ, પાલિકા દ્વારા ફિલ્ટર વગરના દૂષિત પાણીનું વિતરણ, ઉભરાતી ગટર, તૂટી ગયેલ ગટરના ઢાંકણા તથા આશિયાના સોસાયટી અને ગુલાબનગરમાં પીવાનું પાણી આપવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે માજી ધારાસભ્ય ઉપરાંત હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ગુલામભાઈ પરાસરા, નાથાભાઈ ગોરિયા, શકીલ પીરઝાદા, ઈસ્માઈલભાઈ બાદી, હુસેનભાઈ મંત્રી, અબ્દુલભાઈ બાદી, વનરાજભાઈ રાઠોડ, અરવિંદભાઈ અંબાલિયા, ગીતાબેન પરમાર, આબિદ ગઢવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને જો તંત્ર દ્વારા સમસ્યાઓને દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News