મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ


SHARE











વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ

વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગઇકાલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં અવાયું હતું અને શહેર તથા તાલુકામાં બિસ્માર રોડ રસ્તા, તૂટી ગયેલ પુલ, જોખમી પુલ, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, ખનીજ ચોરી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

વાંકાનેર નજીક રતિદેવરી તરફ જવાના રસ્તા ઉપર એક વર્ષ પહેલા પુલ તૂટી ગયેલ છે તેનું હજુ સુધી રિપેરિંગ થયેલ નથી, તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા બિસ્માર છે, સિંધાવદરનો પુલ જોખમી છે તેમજ પીજીવીસીએલ, ખાતર, ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, જંગલી પશુથી પાકને નુકશાન, ખનીજ ચોરી, ઓવરલોડ ડમ્પર સહિતની સમસ્યાઓ દૂર કરવા માટે અને જડેશ્વરથી અમરસર જતાં રોડના નબળા કામ બાબતે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મહમદજાવિદ પીરજાદાની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી તેમજ શહેરમાં બિસ્માર રોડ, પાલિકા દ્વારા ફિલ્ટર વગરના દૂષિત પાણીનું વિતરણ, ઉભરાતી ગટર, તૂટી ગયેલ ગટરના ઢાંકણા તથા આશિયાના સોસાયટી અને ગુલાબનગરમાં પીવાનું પાણી આપવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે માજી ધારાસભ્ય ઉપરાંત હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ગુલામભાઈ પરાસરા, નાથાભાઈ ગોરિયા, શકીલ પીરઝાદા, ઈસ્માઈલભાઈ બાદી, હુસેનભાઈ મંત્રી, અબ્દુલભાઈ બાદી, વનરાજભાઈ રાઠોડ, અરવિંદભાઈ અંબાલિયા, ગીતાબેન પરમાર, આબિદ ગઢવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને જો તંત્ર દ્વારા સમસ્યાઓને દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News