મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત સાતમી વખત સમરસ
SHARE
મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત સાતમી વખત સમરસ
મોરબી જિલ્લામાં આવેલ ઉમિયાનગર ગ્રામ પંચાયતને છેલ્લી ૬ ટર્મથી ગામના આગેવાનો અને વડીલો દ્વારા સમરસ કરવામાં આવી રહી છે જેથી કરીને આ ગામની અંદર સમતોલ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે ગામના યુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વધુ એક વખત એટલે કે સાતમી વખત ઉમિયાનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે
કોઈપણ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ એટલે યેનકેન પ્રકારે મતભેદ થાય, મનભેદ થાય અને જુદા જુદા મતભેદના કારણે વિવાદ થાય અને પછી લોહિયાળ ચૂંટણી બને છે આવા કિસ્સાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે પરંતુ વર્ષોથી ઘણા ગામોની અંદર ચૂંટણી ન યોજાઇ તે માટે સમરસ કરતા હોય છે ત્યાર બાદ ગામના સરપંચ સહિતના હોદ્દેદારો નક્કી કરીને ગામનો વિકાસ થાય તે પ્રકારની વ્યવસ્થા ગામના જ લોકો દ્વારા ઉભી કરવામાં આવતી હોય છે અને આ માટે થઇને સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયત થાય તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ વિશેષ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની ઉમિયાનગર ગ્રામ પંચાયતની તો ૬ ટર્મથી આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ આ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે થઈને ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પૂરો થયો ત્યારે ગામને સમરસ કરવામાં આગેવાનો સહિતનાને સફળતા મળી છે અને સરપંચ પદ માટે ભાવેશભાઈ ગોરધનભાઈ છત્રોલાની પસંદ કરવામાં આવે છે અને તે ઉપરાંત નિલેશભાઈ ભાડજા, રાજેશભાઈ ભાડજા, મહેશભાઈ છત્રોલા, વિલાસબેન કાસુન્દ્રા, ભાવિશાબેન કોરિંગા, જીજ્ઞાશાબેન ઘેટિયા અને અનસોયાબેન ભાડજાનો નવી બોડીમાં સમાવેશ કરવામાં આવે છે આ સમગ્ર બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ગામના વિકાસ કામોને આગળ ધપાવવામાં આવશે તેઓ સરપંચે કોલ આપેલ છે