મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













માળીયા (મી)ના લાંચ કેસમાં પકડાયેલ કોન્સ્ટેબલના બે દિવસના રિમાન્ડ મંજૂર

માળીયા (મી) તાલુકામાં ખોટા કેસમાં ફિટ નહીં કરવાના બદલામાં રૂપિયા એક લાખની લાંચ માંગવામાં આવી હતી જે રકમ સ્વીકારતા વચેટીયા બાદ એસીબીની ટીમે માળીયા તાલુકાનાં એક કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને તેના રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

માળીયા (મી) તાલુકામાં રહેતા એક વ્યક્તિને ખોટા કેસમાં ફિટ નહિ કરવાના બદલામાં માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ સીયાર દ્વારા એક લાખની લાંચ માંગવામાં આવી હતી. જેથી કરીને અરજદારે એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ એસીબીની ટીમે માળીયાની ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવતા કોન્સ્ટેબલ રાયમલભાઈ વતી લાંચની રકમ સ્વીકારતા ગુલામરસુલ હૈદરભાઈ જામ નામના વ્યક્તિને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ માંગનાર કોન્સ્ટેબલ સહિત બે વ્યક્તિ સામે ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ કરી રહેલ એસીબીના પીઆઇ એ.સી. શર્માની ટીમ દ્વારા આરોપી કોન્સ્ટેબલ રાયમલભાઈ નાનજીભાઈ શિયાર (27) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરવામાં આવી છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.




Latest News