મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન


SHARE







મોરબીમાં જલારામ મંદિરે જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે બેઠકનું આયોજન

મોરબીમાં આગામી જન્મષ્ટમીની ઉજવણીની તૈયારીના ભાગરૂપે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે સર્વે હિન્દુ સંગઠન દ્વારા બેઠકનું આયોજન કરવાં આવ્યું છે

અખિલબ્રમાંડના નાથ, યશોદાનંદન શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય શોભાયાત્રાની રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા વિશેષ બેઠક રાખવામાં આવી રહી છે, જેમાં હિન્દુ સમાજ તથા સર્વે હિન્દુ સંગઠનના દરેક સક્રિય કાર્યકર્તાનો ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક તા. ૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે બેઠક યોજાશે. તેવું આયોજકોએ જણાવ્યુ હતું.






Latest News