મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના લોકોની સમસ્યાના નિરાકરણ માટે સીએમ-સચિવને રજૂઆત કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE















મોરબીના લોકોની સમસ્યાના નિરાકરણ માટે સીએમ-સચિવને રજૂઆત કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબી શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે અને વરસાદને કારણે લોકોને જે સમસ્યા થઇ રહી છે તે સમસ્યાના નિરાકરણ માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરની સમસ્યા ઉકેલવા ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને મુખ્ય સચિવ અને શહેરી વિકાસ વિભાગના સચિવ સાથે મળી શહેરની સમસ્યા મુદે રજૂઆત કરી હતી અને લોકોની સમસ્યાનો અંત લાવવા તાત્કાલિક એક્શન લેવા સુચના આપી હતી આ ઉપરાંત આજે ગાંધીનગરથી પરત ફર્યા બાદ મોરબી જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નર સાથે બેઠક કરી હતી  શહેરમાં વરસાદના લીધે રસ્તા ઝડપથી રીપેર થાય અને શહેરનું સુચારૂ આયોજન થાય તે માટે સૂચના આપવામાં આવી હતી  મોરબી શહેરના સંચાલન અને પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને મોરબી શહેર ના આયોજનબદ્ધ અને જવાબદાર કામગીરી અમલમાં મૂકવા માટેની દિશાએ કાર્ય કરવા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી લોકોની સમસ્યા હલ કરવા તેમના તરફથી જરૂરી મદદ કરવા કાર્યકરો અને હોદેદારો ને પણ સુચના આપી હતી.






Latest News