મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન


SHARE











મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન

મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બી.કે. લહેરુની પ્રેરણાથી શ્રાવણ માસના પાવન અવસરે શિવત્વના અધ્યયન માટે ઓળખાતા ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના શિવમહિમા વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમ સોમવાર ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજના ૪ થી ૭ વાગ્યા દરમ્યાન મહાવીર સોસાયટી, નવા બસસ્ટેશન સામેના જાહેર પ્લોટમાં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો. ભાવેશ જેતપરિયા કરશે.

ધર્મ, શિવત્વ અને આધ્યાત્મિક ઊંડાણના વિષયો ઉપર પોતાની આગવી સંગીતમયી શૈલીમાં વ્યાખ્યાન આપતા અને શિવત્વના અધ્યયન માટે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના પ્રવચનથી શ્રાવણ માસની શોભા વધારવા માટે મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સિનિયર સિટીઝન ફાઉન્ડેશન- મોરબીના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મહામંત્રી મહેશભાઈ બી.ભટ્ટ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા, કાર્યક્રમના પ્રેરક નરેન્દ્રભાઈ મહેતાએ સત્સંગી ભાવિકો તેમજ શહેરના તમામ વડીલ નાગરિકો અને ધાર્મિક રસ ધરાવતા લોકોને વ્યાખ્યાનમાં આવવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે.






Latest News