મોરબીના આંદરણા ગામેથી સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
SHARE
મોરબીના આંદરણા ગામેથી સારવારમાં ખસેડાયેલ સગર્ભા મહિલાનું મોત
મોરબીના આંદરણા ગામની સીમમાં રહેતી સગર્ભા મહિલાને અચાનકમાં દુખાવો ઉપાડતા તેને પ્રથમ સારવાર માટે ચરાડવાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને ગયા હતા અને ત્યાંથી તેને બેભાન હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ પટેલ માઇક્રોન માટીના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા સંગીતાબેન શંકરભાઈ વસુનિયા (28) નામની મહિલા સગર્ભા હોય તેને ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં પેટમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ચરાડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન સારવારમાં તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે