મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી, વાંકાનેરના સરતાનપર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 15 શખ્સો રોકડ સાથે ઝડપાયા


SHARE













માળીયા (મી)ના ખાખરેચી, વાંકાનેરના સરતાનપર અને મોરબીમાં જુગારની ત્રણ રેડ: 15 શખ્સો રોકડ સાથે ઝડપાયા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી, વાંકાનેર તાલુકાના સરતાનપર અને મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જુગારની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને 15 જેટલા શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ખુલ્લા પટમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી મનોજભાઈ બાબુભાઈ સિસણોદા (42), અજીતભાઈ વિઠ્ઠલભાઈ થરેસા (35), મુકેશભાઈ સોંડાભાઈ શંખેસરિયા (25), વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ સુરાણી (25), સોંડાભાઈ રવજીભાઈ શંખેસરિયા (59) અને રતિલાલભાઈ વિરજીભાઈ લાઘણોજા (64) રહે બધા ખાખરેચી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 15,830 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રોડ ઉપર જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ગજાભાઈ રામજીભાઈ સાતોલા (52) રોહિતભાઈ કેશુભાઈ કુવરીયા (27) અને લગધીરભાઈ મુસાભાઇ સોલંકી (53) રહે ત્રણેય ઇન્દિરાનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2020 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રામજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ગેલાભાઈ ઝીણાભાઈ માણસુરીયા (30), નવઘણભાઈ જલારામભાઈ સિહોરા (37), કમલેશભાઈ પ્રેમજીભાઈ ફીસડીયા  (40), મનજીભાઈ છગનભાઈ સરાવાડીયા (39), આનંદભાઈ બાપભાઈ ગોહિલ (32) અને સહદેવભાઈ વેરશીભાઈ સરાવાડીયા (26) રહે બધા સરતાનપર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,510 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે








Latest News