મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ હળવદમાંથી ઝડપાયો મોરબી અને હળવદમાં વિદેશી દારૂની 3 રેડમાં આરોપી સાથે 16 બોટલ દારૂ પકડાયો મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો


SHARE













મોરબીના વનાળિયા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે.જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે. આયોજન માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના વનાળિયા ગામ ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા હેઠળ આવતા વિસ્તારના ૭૦ થી વધુ ઉંમરના બાકી રહેલ લાભાર્થી દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કામગીરી માટે મેડિકલ ઓફિસર ડૉ.સંજય જીવાણી તેમજ એમ.પી.એચ.એસ કે.કે.કાલરીયા તેમજ એમ.પી.એચ. ડબલ્યુ, હિતેષભાઇ વાંક ,અશ્વિનભાઈ ઝાલા, તેમજ આરોગ્ય સ્ટાફ જાગૃતિબેન, હીનાબેન અને ગામના લોકો દ્વારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News