મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ


SHARE











મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબી જિલ્લામાં મોરબી ડીસ્ટ્રીકટ નેટવર્ક પીપલ્સ વીથ એચ.આઈ.વી. એઈડ્સ કંટ્રોલ (એમ.ડી.એન.પી) દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડો.ધનસુખ અજાણા તેમજ પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર પિયુષભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એ.આર.ટી. ની દવા લેતા તમામ સગર્ભા બહેનો, વિધવા બહેનો તથા બાળકોને રાશન કીટ વિતરણ કરવા માટેનું જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમ માટે (એમ.ડી.એન.પી) મોરબીના સભ્યો રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઇ નિમાવત, ભાવનાબેન ચાવડા તથા કૃણાલભાઈ ત્રિવેદીએ સિરામિક ગ્રુપ તેમજ લોકલ દાતાઓ શોધી દાતાશ્રીઓ મારફત ૫૦ જેટલી કિટ મેળવીને દર્દીઓને આપી હતી.આ ઉપરાંત આગામી સમયમાં આવતા દિવાળીના તહેવાર નિમિત્તે પણ સંસ્થા દ્વારા કીટ વિતરણનું આયોજન કરવાનું હોય મોરબી જિલ્લાના દાતાશ્રીઓને અપીલ છે કે વધુમાં વધુ કીટ આપીને સહભાગી બને અને દાન-સહયોગ માટે રાજેશભાઈ લાલવાણી (મો.૭૫૬૭૫ ૧૭૪૬૨), રાજેશભાઈ જાની (મો.૯૯૯૮૭ ૩૨૪૬૦), જયદીપભાઇ નિમાવત (મો.૯૪૨૮૯ ૧૫૫૦૬), ભાવનાબેન ચાવડા (મો.૭૫૬૭૦ ૬૨૭૭૨) અથવા કૃણાલભાઈ ત્રિવેદી (મો.૯૯૧૩૧૧૯૮૭૯) સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે






Latest News