મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ હિન્દૂ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 18 જગ્યાએ કરશે મટકી ફોડ


SHARE













મોરબીમાં સર્વ હિન્દૂ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 18 જગ્યાએ કરશે મટકી ફોડ

મોરબીમાં દર વર્ષે સર્વે હિંદુ સંગઠન દ્વારા સાથે મળીને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના દિવસે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે અને જુદીજુદી જગ્યાએ કુલ મળીને 18 મટકી ફોડ કરવામાં આવશે.

મોરબીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, આગામી 16 ઓગસ્ટને શનિવારના રોજ સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ઉપર કુલ મળીને 18 સ્થળે મટકી ફોડ કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ હતું કે, કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા મોરબીના સ્ટેશન રોડે આવેલ જડેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ સુપર ટોકિઝ, સીપીઆઈ ઓફિસ, પરાબજાર, નવાડેલા રોડ, રિદ્ધિસિદ્ધિ ફટાકડા, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેઈટ, નગર દરવાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવશે.

આ શોભાયાત્રામાં હિંદુ સમાજના અલગ અલગ ફ્લોટ્સ રાખવામા આવશે તેમજ શોભાયાત્રા દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવશે. આ શોભાયાત્રામાં સર્વે સનાતની ભાઈઓ-બહેનોને જોડાવવા આયોજકોએ અપીલ કરી છે. અને ખાસ કરીને ભાઈઓએ પીળો ઝભ્ભો પહેરીને અને બહેનોને હિંદુ સંસ્કૃતિ પ્રમાણેના વસ્ત્રો પહેરીને જોડાવવા આહ્વાન કર્યું છે. તેમજ નાના બાળકોને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કાનુડાના વસ્ત્રો પહેરાવીને સાથે લઈ આવવા આયોજકોએ અપીલ કરી છે.




Latest News