મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત નંદ-ઉત્સવ ઉજવાયો


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં જન્માષ્ટમી અંતર્ગત નંદ-ઉત્સવ ઉજવાયો

વિધાર્થીઓમાં અભ્યાસની સાથોસાથ સાંસ્કૃતિક મૂલ્યોનો પણ વિકાસ થાય, વિધાર્થીઓ ધાર્મિક ઉત્સવો પાછળના સાંસ્કૃતિક આયામો સમજે તેવા ઉમદા હેતુસર પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં આગામી જન્માષ્ટમી પર્વ અંતર્ગત નંદ-ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતુ. આ નંદ-ઉત્સવ અંતર્ગત કોલેજની વિધાર્થીની બહેનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓ તેમજ  જીવન ચરિત્ર અને જીવન મુલ્યો પર આધારિત નૃત્યો, નાટકો, ગીતો અને વક્તવ્યો રજુ કર્યા હતા. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ ના જીવન પર વિવિધ માર્મિક અને રસપ્રદ રજુઆતો કરવામાં આવી હતી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં કોલેજની વિધાર્થીની બહેનો અને મહિલા પ્રાધ્યાપકો પરંપરાગત પોશાકમાં ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર કૃતિઓ ની પૂર્વ તૈયારી માટે કોલેજના તમામ મહિલા પ્રાધ્યાપકો ઘણા દિવસોથી જહેમત ઉઠાવી રહ્યા હતા અને નૃત્યોની કોરીઓગ્રાફી કોલેજની જ વિધાર્થીની અને એક સફળ કોરીઓગ્રાફર નિયતિ કુકડિયા દ્વારા કરવામાં આવી હતી.






Latest News