મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા


SHARE













મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા

મોરબીમાં આજે જન્માષ્ટમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને મોરબીના માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શહેરના માર્ગો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.

આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટ્લે કે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં આજે સર્વ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો આનંદ સાથે જોડાયા હતા અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી શોભાયાત્રાને શરૂ કરવામાં આવી હતી ત્યારે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ ઉપરાંત રાસ-ગરબામટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મટકી ફોડ કરતની સાથે જ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી. ના નાદ ગુંજી ઉઠ્યા હતા અને મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક  ડો. જયંતીભાઈ ભાડેશિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા વિહિપના પ્રમુખ જીલેશભાઈ કાલરિયા, કમલેશભાઈ બોરિચા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News