મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત


SHARE













હળવદના કેદારીયા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત: મોરબીમાં દુકાને બેઠેલ યુવાનનું છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત

હળવદના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે મોરબીના રાજપર રોડ ઉપર મામા સાહેબના મંદિર પાસે યુવાન તેની દુકાને બેઠો હતો ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપાડતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે

હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યો 25 વર્ષનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની આગળની વધુ તપાસ વી.પી.ચાવડા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ ચાલી રહી છે. જ્યારે મોરબી નજીકના સનાળા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા સંજયભાઈ અરજણભાઈ જરૂ (45) નામનો યુવાન રાજપર રોડ ઉપર આવેલ મામા સાહેબના મંદિર પાસે પોતાની દુકાને બેઠો હતો ત્યારે તેને અચાનક છાતીઓમાં દુખાવો ઉપાડતા 108 મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News