હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી, રૈન બસેરામાં રહેતા લોકોને ભોજનપ્રસાદ


SHARE











મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી, રૈન બસેરામાં રહેતા લોકોને ભોજનપ્રસાદ

મોરબીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલા મંદિરે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈના સૌજન્યથી પ્રખ્યાત ભાવિક ગજ્જર થકી પ્રખ્યાત કોહીનુર બેન્ડ સુરાવલી સંગીતના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતીનું આયોજન  કરવામાં આવ્યું હતું.આ તકે ભાજપ શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા અને ભુપતભાઇ જારીયા, આરતીબેન રત્નાણી, જયશ્રીબેન વાઘેલા,મહંત પ્રવીણગીરી મહારાજ વિગેરે હાજર રહ્યા હતા.

જયારે જયશ્રી માનવસેવા ટ્રસ્ટના હસ્તે શ્રાવણ મહિનાના સોમવારે ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવરના સહયોગથી રેલવે સ્ટેશનની સામે આવેલ નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરામાં રહેતા લોકોને પાવભાજી ખવડાવવમાં આવી હતી.જેમાં ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખ કપિલભાઈ રાઠોડ, ગૌતમભાઈ રાઠોડ,  તેમજ ચારે ચાર સોમવારના દાતા હિમેન્દ્રભાઈ ત્રિવેદી, ક્રિષ્નાબેન ત્રિવેદી, તેમજ સિદ્ધએશ્વર મંદિરના મહંત પ્રવિનગીરી, રીટાબેન તેમજ રૈન બસેરાના મેનેજર પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેરટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.કોઈપણની લગ્નતિથી, જન્મતિથિ, શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિનામાં દાન સહયોગ આપવા માટે જયશ્રીબેન વાઘેલા (મો.૭૦૧૬૭ ૦૭૦૨૦) નો સંપક્ક કરવા જણાવાયેલ છે.






Latest News