મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી કોર્ટ


SHARE







મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમનો દંડનો હુકમ કરતી કોર્ટ

મોરબીમાં ચેક રીટર્નના કેસમાં એક વર્ષની કેદની સજા તથા બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો મોરબી કોર્ટએ હુકમ કર્યો છે.

કેસની હકીકત જોઈએ તો, ફરીયાદી મોરબીના વતની પ્રશાંતભાઈ દેવજીભાઈ પરમારે, આરોપી નવી પીપળી, તા. મોરબીના વતની વિજયભાઈ ડાયાલાલ પારેથીને સપ્ટેમ્બર, ૨૦૨૩ માં, હાથ ઉછીની રકમ રૂા.૪,૦૦,૦૦૦ આપેલ અને આ રકમ પરત ચૂકવવા માટે આરોપી વિજયભાઈ ડાયાલાલ પારધી એ રૂા.૪,૦૦,૦૦૦ નો એક ચેક ફરીયાદીને આપેલ અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજુ કરતા, ચેક વણચૂકવ્યો પરત થતા, ફરીયાદી પ્રશાંતભાઈએ વિજયભાઈને નોટીસ આપેલ છતાં તેણે ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા, ફરીયાદી પ્રશાંતભાઈએ, વિજયભાઈ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને આ કેસ ચાલી જતા, ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામ.હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે.ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે વિજયભાઈ ડાયાલાલ પારઘી ને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચૂકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો અતિ મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનીષ કે.ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલ હતા.






Latest News