મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠિકરીયાળા ગામે વાડીએ-રાતાવીરડા નજીક કારખાનામાં ઝેરી દવા પીને એક-એક યુવાનનો આપઘાત


SHARE













વાંકાનેરના ઠિકરીયાળા ગામે વાડીએ-રાતાવીરડા નજીક કારખાનામાં ઝેરી દવા પીને એક-એક યુવાનનો આપઘાત

વાંકાનેરના ઠિકરીયાળા ગામની સીમમાં આવેલ વાડીએ યુવાન પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં યુવાન ઝેરી દવા કે એસિડ પી જતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામે રહેતા મનવીરભાઈ બાબુભાઈ ધોરીયા (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની વાડીએ હતો ત્યારે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આવી જ રીતે હળવદના ડુંગરપુર ગામે રહેતા વિજયભાઈ કરમશીભાઈ જખવાડિયા (27) નામનો યુવાન રાતાવીરડા ગામની સીમમાં આવેલ અવલ્ટા સીરામીકમાં કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા અથવા તો એસિડ પી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.




Latest News