મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર


SHARE











માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામ પાસે ફાયરિંગનો બનાવ બનેલ હતો જેથી આર્મ્સ એકટ તથા ખની હુમલો કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પકડાયેલ આરોપી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી અને પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)એ તેઓના વકીલ મારફતે મોરબીના એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના પુરાવાઓને ધ્યાને લઈને બને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, મોટા દહીંસરા ગામ સામે ફરિયાદી પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી હતો ત્યાર અજાણ્યા વ્યક્તિએ તેના ઉપર ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપી હતી જે ગુનામાં પહેલા આરોપી તરીકે પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)ની ધરપકડ કરી અને ત્યાર બાદ ફરિયાદી જ તેના ઉપર ફાયરિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીની આરોપી તરીકે ધરપકડ કરી હતી અને તે બંને આરોપી જેલમાં હતા દરમ્યાન તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ તેના વકીલ ગોપાલભાઈ ઓઝા અને પરેશ ગોપાલભાઈ ઉધરેજાએ તેના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલોએ કરેલ દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે શરતોને આધીન બંને આરોપીઓને મુક્ત કરવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં તરૂણ ગામી તરફે ગોપાલભાઈ ઓઝા અને મેનાઝબેન પરમાર રોકાયેલ હતા જયારે આરોપી પરેશ ગોપાલભાઈ ઉધરેજા તરફે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.






Latest News