મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા


SHARE













ટંકારામાં ઘરે અચાનક બેભાન થઈ ગયેલા વૃદ્ધાનું સારવારમાં મોત: વીસેરા લેવાયા

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા અને જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જોકે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની ટંકારા પોલીસ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રહેતા વીબેન ધારાભાઈ ઝાપડા (90) નામના વૃદ્ધા ગત તા. 6/8 ના રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જોકે તેઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને ડોક્ટર દ્વારા વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ બનાવની મૃતક વૃદ્ધાના દીકરા રાજુભાઈ ધારાભાઈ ઝાપડા (45) રહે. ધર્મભક્તિ સોસાયટી ટંકારા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મૂળ અરવલ્લીના રહેવાસી ઈકબાલ સુલેમાન વહાબી (56) નામના આધેડને મોરબીના રફાળેશ્વરથી પાનેલી જવાના રોડ ઉપર પગપાળા જતાં હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી. 






Latest News