મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન


SHARE











સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ઈદે મિલાદુન્નબીનો તહેવાર નબીએ પાકના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં ભાઈચારાની ભાવના સાથે હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી શહેરમાં સેવા-સમર્પણની ભાવનાથી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ ગ્રુપ દ્વારા ઈદે મિલાદુન્નબીના પવિત્ર અવસર ઉપર અનોખું આયોજન કરાયું છે અને મોરબીની સીવીલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે અને આગમી શુક્રવાર તા. ૦૫/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી હઝરત બાવા અહેમદશાહ મસ્જીદ મેમણ કોલોની ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સમાજના યુવાનો સહિતના લોકો દ્વારા રક્તદાન કરવામાં આવશે અને આયોજકોનું કહેવું છે કે માનવસેવામાં રક્તદાન સૌથી મોટું દાન છેઅને કોઈપણ વ્યક્તિએ કરેલ રક્તદાન અન્ય વ્યક્તિનું જીવન બચાવવા માટે આશીર્વાદરૂપ બની શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશીફભાઈ મેમણ (9727178692), આશીફભાઈ ઘાંચી (9913347181), સોહીલભાઈ મેમણ (9624329267) તથા ફેઝલભાઈ મેમણ (9712922473) સહિત હઝરત બાવા અહેમદશાહ ગ્રુપના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News