મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન


SHARE











મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિનું સ્થાપના કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું અને જુદાજુદા અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ ચિત્રા ધૂન મંડળના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્યનારાયણ કથા, ગણપતિ મહારાજને ૫૬ ભોગ વિગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. અને ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સવારે આરતી બાદ કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા કોલેજના વિદ્યાથીઓને આ અવિસ્મરણીય ઉત્સવ માટે સતત સહયોગ આપવામાં આવેલ હતો.






Latest News