વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણેશજીનું પાંચ દિવસ શ્રદ્ધાથી પૂજન-અર્ચન કરીને કર્યું વિસર્જન

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં ગણપતિનું સ્થાપના કરીને પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું હતું અને જુદાજુદા અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ જેટલા વિધાર્થીઓએ અને કોલેજના પ્રાધ્યાપકોએ ધોતી-કુર્તામાં ગણપતિ મહારાજની આરતી ઉતારી હતી તેમજ ચિત્રા ધૂન મંડળના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સત્યનારાયણ કથા, ગણપતિ મહારાજને ૫૬ ભોગ વિગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ, વાલીઓ સહિતના આમંત્રિત મહેમાનો પણ જોડાયા હતા. અને ગણેશ મહોત્સવ અંતર્ગત પાચમાં દિવસે સવારે આરતી બાદ કોલેજના વિધાર્થી અને પ્રાધ્યાપકો દ્વારા ઢોલ નગારા સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અને કોલેજના પ્રમુખ દેવકરણભાઈ  આદ્રોજા, મેનેજીંગ ટ્રસ્ટી જતીનભાઈ આદ્રોજાના માર્ગદર્શન તથા આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તેમજ કોલેજના પ્રાધ્યાપકો દ્વારા કોલેજના વિદ્યાથીઓને આ અવિસ્મરણીય ઉત્સવ માટે સતત સહયોગ આપવામાં આવેલ હતો.




Latest News