મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવવામાં આવશે સીસીસીનો કોર્સ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં કરાવવામાં આવશે સીસીસીનો કોર્સ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સંસ્થાના નેશનલ ચેરમેન હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ સંદર્ભે સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આર્થિક રીતે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ત્રિપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ તદ્દન ફ્રી માં કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 સપ્ટેમ્બરના રોજ સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પોતાના ઉજવળ ભવિષ્ય માટે કોમ્પ્યુટરના ત્રિપલ સી સર્ટિફાઇડ ક્લાસ આર્થિક સંકળામણને કારણે કરી શકતા નથી તેઓ માટે ફ્રીમાં આ કોર્સ શીખવાની ઉત્તમ તક આપી રહ્યું છે. આ સંદર્ભે વધુ માહિતી આપતા ક્લબ પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલા સુજાતન કોમ્પ્યુટર ક્લાસમાં શિક્ષિકા હીનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ સાક્ષરતા દિવસ ઉજવણી હેઠળ લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. આ વર્ષે પણ આ શિક્ષણ યજ્ઞને આગળ વધારતા મોરબી શહેરના કોઈપણ જરૂરિયાત મંદ વિદ્યાર્થી કે જે ધો. 8 થી 12 માં અભ્યાસ કરતા હોય તેને આ કોર્સ કે જેની સામાન્ય રીતે ફી 2500 થી 3000 રૂપિયા હોય છે તે તદ્દન ફ્રી માં શીખવાડવામાં આવશે.

ખાસ જણાવવાનું કે માત્ર આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને જ આ કોર્સમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ આ નોંધણી વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટેના કાયમી દાતા માધાપર કચ્છ હાલ દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે. અને વધુ જાણકારી માટે હીનાબેન પરમાર (9825930156) નો સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે.






Latest News