ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પ યોજાશે


SHARE













મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પ યોજાશે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે આગામી સમયમાં ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવોએ તેના જરૂરી ડોક્યુમેન્ટ તા. ૯-૧૨ થી ૨૫-૧૨ સુધીમાં જમાં કરાવવાના છે અને ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, ૨-અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવું છે

વધુમાં આ ઇ-શ્રમ કાર્ડ દ્વારા મળતા લાભો જણાવ્યુ છે જેમાં ઇ- મ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે, પીએમએસબીવાય ની જેમ વીમા કવરેજ મળશે, અકસ્માતથી મૃત્યુ અથવા સ્થાય રૂપથી વિકલાંગ થાય તો ૨ લાખ રૂપિયા અને આંશિક રૂપ થી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયા મળવા પાત્ર છે, અલગ પ્રકારની સામાજિક સુરક્ષા ના લા વિતરણ ઈ- શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે, મહામારીનાં સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહેશે

આ કેમ્પ માટે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની છે જેમાં ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ, આધાર કાર્ડ જેટલા સભ્યોના જમાં કરાવો તે દરેક સભ્ય ના બેંક એકાઉન્ટની પ્રથમ પેજ ની કોપી આપવાની છે અને આ ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય, ભારતી વિદ્યાલય, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી, શ્રીમાળી બ્રાહ્મણ વાડી, પરશુરામ ધામ મંદિર અને નલિની વિદ્યાલય ખાતે જમા કરાવવાના છે અને જેમને ડોક્યુમેન્ટ જમાં કરાવ્યા હશે તેને કેમ્પની તારીખની જાણ ફોનથી કરવામાં આવશે અને વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા (૯૯૨૪૯૬૮૧૭૧)કેયુરભાઈ પંડ્યા (૯૪૨૯૪૮૪૪૪૦) અને અમુલભાઈ જોષી (૯૨૨૭૧૦૦૦૧૧) નો સંપર્ક કરવાનો રહેશ






Latest News