તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના કેજી થી ધો. ૧૨ સુધીના વર્ગમાં સ્વયં વિધાર્થીઓ એક દિવસના શિક્ષક બનીને તેમના વર્ગમાં સહપાઠીઓને અભ્યાસ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વિધાર્થીઓ દરેક વિષયના શિક્ષક, મદદનિશ શિક્ષક, પટ્ટાવાળા, ક્લાર્ક, સુપરવાઇઝર અને આચાર્ય તરીકે ભૂમિકા ભજવેલ તેમજ સવારપાળીના આચાર્યા તરીકે સોલંકી આયુષી દિનેશભાઈ (ધો.૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે પરમાર પલ્લવી હરીશભાઇ (ધો.૯) એ પોતાની ફરજ નિભાવેલ હતી અને શાળાના બંને આચાર્યાએ ક્વિઝ સ્પર્ધા અને રંગપૂરણી સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને શુભકામના પાઠવેલ હતી અને અંતમાં શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ આ દિવસની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને માહિતી આપેલ તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને ભવિષ્યમાં પણ શિક્ષક બનીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપે તેવા આશીર્વચન આપેલ હતા.






Latest News