મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના ટીકર ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર


SHARE













હળવદના ટીકર ગામે યોજાયેલ આમ આદમી પાર્ટીની જનસભામાં ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં સભાઓ કરવામા આવી રહી છે તેવામાં હળવદ તાલુકાનાં ટીકર ગામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની હાજરીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ઘણા લોકો આમ આદમી પાર્ટીની સાથે જોડાયા હતા ત્યાર બાદ સભાને સંબોધતા ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને તેને આવકારવા માટે તૈયાર હતા પરંતુ તે રાજકારણ કરવા માટે આવેલ નથી રાજકારણમાં પરીવર્તન માટે આપમાં જોડાય છીએ અને લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરીવર્તન આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

હળવદ તાલુકાનાં ટીકર ગામે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશના આગેવાન રાજુભાઇ કપરાડા ઉપરાંત મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા, જિલ્લાના પ્રમુખ મહાદેવભાઇ પટેલ, કે.ડી.બાવરવા, ડોક્ટર રાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે રાજુભાઇ કપરાડા, પંકજભાઈ રાણસરિયા તથા મહાદેવભાઇ પટેલ દ્વારા વર્તમાન સમયમાં લોકો જે જુદીજુદી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે તેના ઉકેલ માટે આમ આદમી પાર્ટીના આગેવાનો તમારી સાથે જ છે અને જરૂર પડે તો આંદોલન કરવા માટે પણ લોકોની સાથે રહેશે. કેમ કે, વર્ષોથી સત્તામાં ભાજપ હોવા છતાં પણ આજની તારીખે મોટાભાગના વિસ્તારોમાં લોકો લાઇટ, પાણી રોડ રસ્તા જેવી સુવિધા મળતી નથી અને લોકો હેરાન થાય છે ત્યારે હવે સતાધીશોને તેનું સ્થાન બતાવવાનો સમય આવી ગયો છે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે તેમણે કહયું હતું. ચાર વર્ષ પહેલા જ્યારે રાજકારણમાં આવવાની જાહેરાત કરી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને આવકારવા માટે તૈયાર હતા જો કે, હું રાજકારણ કરવા માટે નહીં પરંતુ વર્તમાન સમયમાં જે રાજકારણ કરવામા આવે છે તેમાં પરીવર્તન લાવવા માટે રાજકારણમાં આવ્યો છો. ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં લોકોના અનેક પ્રશ્ન છે જો કે, તેનો ઉકેલ કેમ લાવવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે. અને સરકારે 15 વર્ષે વાહન બદલાવવા માટેનો નિયમ બનાવેલ છે તો પછી 30-30 વર્ષથી ભાજપ છે તેને ગુજરાતમાં હવે બદલી નાખો અને એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપો અને જો આપની આશા અને અપેક્ષા ઉપર ખરા ન ઊતરીએ તો અમને પણ બદલી નાખજો.






Latest News