વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના ચામુડાનગરમાં વીજ ધાંધિયાનું કાયમી નિવારણ લાવવા લોકોની માંગ


SHARE













મોરબી શહેરમાં સોઓરડીની પાસે આવેલી ચામુડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે જેના કારણે લોકોના ઘરની અંદર ઇલેક્ટ્રીક ઉપકરણોમાં નુકસાની થાય છે જેથી કરીને તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડે છે માટે સ્થાનિક લોકો દ્વારા વીજ કંપનીના અધિકારીને લેખિત રજૂઆત કરીને વીજ ધાંધિયા દૂર કરવા માટે થઈને માંગ કરવામાં આવી છે.

મોરબીના ચામુડાનગર વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ચામુંડાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ ધાંધિયા છે જેથી અવારનવાર લાઈટ જતી રહે છે અને લો વોલ્ટેજના કારણે ઘણી વખત લોકોના ઘરની અંદર મૂકવામાં આવેલ ટીવી ફ્રીજ એસી મોટર, પંખા, એસી, ટ્યુબ લાઇટ વગેરે જેવા વીજ ઉપકરણોમાં નુકસાની થાય છે અથવા તો તે બળી જાય છે જેથી લોકોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે આટલું નહીં પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે તેની સાથે કોઈ ઘરની અંદર જો બીમાર વ્યક્તિ હોય તો તેઓને પણ વીજ પુરવઠો ખોરવાઈ એટલે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને તેઓને ગ્રામ્ય ફીડરમાંથી વીજ પુરવઠો આપવામાં આવે છે તેમાં ટેકનિકલ જે કોઈ ખામી હોય તે દૂર કરીને વીજ પુરવઠો નિરંતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.




Latest News