મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પાલિકાની બાજુમાં આવેલ સંધવાણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ


SHARE













માળીયા (મી)માં પાલિકાની બાજુમાં આવેલ સંધવાણી વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોના હાલ બેહાલ


માળીયા મીયાણા નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી જુદી જુદી જગ્યા ઉપર ભરાઈ ગયા છે જેમાં ખાસ રીને નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી લોકોને પોતાના ઘરની અંદર આવન જાવન કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને કેટલાક લોકો પોતાના ઘર બંધ કરીને બીજે પોતાના સગા સંબંધીને ત્યાં રહેવા જતા રહ્યા છે અને તંત્રની બેદરકારીને કારણે ચોમાસા દરમિયાન લોકોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.

સામાન્ય રીતે જ્યારે મચ્છુ 2 ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે ત્યારે માળિયા શહેર વિસ્તારની અંદર મચ્છુ નદીના પાણી ફરી વળતા હોય છે અને લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા હોય છે જોકે ચાલુ વર્ષે મોરબીનો મચ્છુ 2 ડેમ હજુ ભરાયો નથી પરંતુ છેલ્લી 30 કલાક દરમિયાન માળિયા તાલુકામાં લગભગ પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી જુદા જુદા વિસ્તારોમાં તેમજ માળીયા નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલ સંધવાણી વાસ વિસ્તારની અંદર રહેતા લોકોના ઘર સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે માટે લોકોને પોતાના ઘરની અંદર આવન જાવન કરવામાં પણ મુશ્કેલી થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે, કે જો નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા વિસ્તારમાં અને નગરપાલિકા કચેરીની અંદર વરસાદી પાણી ભરાતા હોય તો ગામની પરિસ્થિતિ કેવી હશે તે કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેવું છે કારણ કે તંત્રની બેદરકારીને કારણે માળિયા શહેરી વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. અને વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેના માટેની કોઈ વ્યવસ્થા માળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં કરવામાં આવી નથી જેથી કરીને ચોમાસામાં લોકોના હાલ બેહાલ થઈ જાય છે.




Latest News