તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના મયુરનગરથી રાયસંગપરને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ, ગ્રામજનો હેરાન


SHARE











હળવદના મયુરનગરથી રાયસંગપરને જોડતો બ્રાહ્મણી નદી ઉપરનો પુલ ધોવાઈ જતા રસ્તો બંધ, ગ્રામજનો હેરાન

હળવદ તાલુકાના મયુરનગરથી રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા ઉપર બ્રાહ્મણી નદીમાં બેઠો પુલ આવેલો છે અને તે પુલ ઉપર દર વખતે ચોમાસા દરમિયાન બ્રાહ્મણી નદીનું પાણી ફરી વળે છે જેથી કરીને પુલ તૂટી જાય છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ જગ્યા ઉપર મોટો પુલ બનાવી દેવામાં આવે તેવી એક નહીં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારી કે પદાધિકારી અહીંના લોકોની વાતને ધ્યાને લેતા નથી અને પુલ બનાવતા નથી જેથી કરીને દર વખતની જેમ આ વખતે પણ પુલ તૂટી જવાના કારણે મયુરનગર અને રાયસંગપર ગામના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને લાખો અને કરોડો રૂપિયા વાપરવામાં આવે છે તેવી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ મયુરનગર અને રાયસંગપર ગામના લોકોના નસીબમાં જાણે કે હાલાકીનો સામનો કરવાનું લખ્યું હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળે છે આ બંને ગામને જોડતો બ્રાહ્મણી નદી ઉપર મોટો પુલ બનાવવા માટે થઈને છેલ્લા વર્ષોમાં અનેક વખત રજૂઆતો કરી છે જેમાં સ્થાનિક અધિકારીથી લઈને ધારાસભ્ય અને સાંસદ સભ્યને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે તો પણ આજની તારીખે ત્યાં પુલ બનાવવામાં આવ્યો નથી જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. છેલ્લા દિવસો દરમિયાન પડેલા વરસાદના કારણે બ્રાહ્મણી 2 ડેમની અંદર પણ પાણીની આવક થતા બ્રાહ્મણી 2 ડેમનો 1 દરવાજો દોઢ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેથી કરીને મયુરનગર અને રાયસંગપર વચ્ચે બ્રાહ્મણી નદીમાં બનાવવામાં આવેલ પુલ તૂટી ગયો છે. માટે હાલમાં લોકોની અવર-જવર બંધ થઈ ગઈ છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે અગાઉ અહીંયા મોટો પુલ બનાવી દેવામાં આવે તેના માટે થઈને આંદોલન કરવામાં આવ્યું હતું. છતાં પણ નિમ્ભર તંત્ર દ્વારા પુલ બનાવવામાં આવતો નથી અને રાજકારણીઓ દ્વારા તેની સત્તાનો ઉપયોગ કરીને લોકોની મુશ્કેલીને દૂર થાય તે માટે કોઈ કામ કરવામાં આવતું નથી જેથી બે ગામના લોકો હેરાન થાય છે અને ખાસ કરીને મયુરનગરના લોકો રાયસંગપર થઈને હળવદ તરફ જઈ શકતા હોય છે પરંતુ આ રસ્તો બંધ થવાના કારણે તેઓને ફરીને હળવદ જવું પડે તેવી પણ પરિસ્થિતિ ઉભી થતી હોય છે.






Latest News