મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની જહેમતથી પીજીવીસીએલના વધુ એક સબ ડિવિઝનને મંજૂરી મળી


SHARE













મોરબીના ધારાસભ્યની જહેમતથી પીજીવીસીએલના વધુ એક સબ ડિવિઝનને મંજૂરી મળી

મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર વધુ હોવાના લીધે અહીં પીજીવીસીએલ ના કનેક્શનની સંખ્યા વધુ જોવા મળે છે. અને જેને લીધે હંમેશા લોડ પડતો હોય તેવા પ્રશ્નો ઉભા થતા હોય છે જેને લઈને સ્થાનિક ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેને પગલે નવું ત્રીજુ સબ ડિવિઝન મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.
 
મોરબીના સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.શહેર પીજીવીસીએલમાં વધુ એક ડિવિઝનનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી તેને પગલે હાલ પીજીવીસીએલના જે ટાઉન-૧ અને ટાઉન-૨ એમ જે બે સબ ડિવિઝનનો કાર્યરત હતા તેના ભરણમાં ઘટાડો કરવા માટે વધુ એક સબ ડિવિઝન મંજૂર કરવામાં આવેલું છે.હાલ કુદકેને ભુસકે મોરબીના ઉદ્યોગો વધી રહ્યા છે અને તેને લઈને વીજ જોડાણોની સંખ્યા પણ વધી રહી હોય આ ભારણને ઘટાડવા અને વર્કલોડની વહેંચણી કરવા માટે થઈને વધારાના નવા મોરબી ટાઉન સબ ડિવિઝન-૩ ની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.સ્થાનિક ધારાસભ્યની સતત રજૂઆતને પગલે હાલ મોરબી ટાઉન સબ ડિવિઝન-૩ મંજૂર કરવામાં આવેલ છે.આ નિર્ણયથી વહીવટી અને ફિલ્ડવર્ક બાબતે સરળતા રહેશે જેનો સીધો લાભ વીજ ગ્રાહકોને મળશે.તેઓના પ્રશ્નોના ઝડપથી નિકાલ આવશે.હાલ આ સમાચારને પગલે મોરબીના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.



Latest News