મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામના યુવાન ત્રાજપર નજીક ખેતરમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો


SHARE













મોરબીના રાજપર ગામના યુવાન ત્રાજપર નજીક ખેતરમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો

મોરબીમાં ત્રાજપર નજીક આવેલ સીરામીક કારખાના પાછળના ભાગમાં ખેતરમાં કોઈ કારણસર યુવાન ઝેરી દવા પી જતા તેના સંબંધી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની મોરબી .બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

jબનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા નિલેશભાઈ કેશવજીભાઈ અઘારા (42) નામના યુવાને મોરબીના ત્રાજપર વિસ્તારમાં આવેલ સિસ્કોકા સિરામિક પાછળ ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેના સંબંધી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ વી.એન.બાર ચલાવી રહ્યા છે અને યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા મુન્નીબેન હંસરાજભાઈ ફુલતરીયા (22) નામની મહિલાએ કોઈ કારણોસર મહિપતભાઈ કુંઢીયાની વાડીએ પંચાસીયા ગામે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સાપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં ખેલું દશરથભાઈ ભુરીયા (22) નામના યુવાનનું બાઈક સાપર જેતપર રોડ વચ્ચે સામેથી આવતા બીજા બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ યુવાને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સરકાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News