મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલમાં વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્ર, મોરબી તરફથી શૈલેષભાઈ ભટ્ટ (ડેપ્યુટી ડીડીઓ, મોરબી), બિઝનેસમેન વાત્સલ્યભાઈ ગડારા અને પાર્થભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ મહેમાનોનો પરિચય કરાવી તેમનું શાબ્દિક કર્યું હતું અને મુખ્ય વક્તા શૈલેષભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને 'વિદ્યા પ્રાપ્તિ' અને 'શિક્ષણ પ્રાપ્તિ' વચ્ચેની પાતળી ભેદરેખા ઉદાહરણ સાથે સમજાવી. વિદ્યાર્થી અવસ્થામાં જીવન જીવવાના અને કાર્ય કરવાના ચાર સોપાન વિશે પ્રેરણાત્મક ઉદબોધન આપ્યું હતું. વ્યસન યુક્ત જીવનની અગાધ મુશ્કેલીઓ અને વ્યસન મુક્ત જીવનની સુવાસથી પરિવાર અને વ્યક્તિગત જીવનમાં આવતા બદલાવ વિશે સમજ આપી હતી તો પાર્થભાઈએ વિદ્યાર્થીઓને મોબાઈલનાં વ્યસનથી દૂર રહેવાની વાત કરી હતી અને વાત્સલ્યભાઈએ સહુને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવ્યો હતો. અંતે શાળાના શિક્ષક એન.ડી.ગઢિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.




Latest News