મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પોકસો-અપહરણ કેશના મુખ્ય તથા સહ આરોપી સામે નોંધાયેલ સમગ્ર ફરીયાદ તથા કેસના તમામ પ્રોસીડીંગ રદ કરતી ગુજરાત હાઈકોર્ટ


SHARE













મોરબીના પોકસો-અપહરણ કેશના મુખ્ય તથા સહ આરોપી સામે નોંધાયેલ સમગ્ર ફરીયાદ તથા કેસના તમામ પ્રોસીડીંગ રદ કરતી ગુજરાત હાઈકોર્ટ

મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આરોપી ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયારએ આ કામના ફરીયાદીની દીકરીને તા.૨૩-૩-૨૫ ના સવારના આશરે દસેક વાગ્યાના સુમારે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી લઈ જઈ આરોપી ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર એ ફરીયાદીની સગીર વયની દીકરી સાથે તેની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી ઉગ્ર જાતીય પ્રવેશ હુમલો કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી એ ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ ૧૩૭(૨), ૬૪(૨) (એમ), ૫૪ તથા પોકસો એકટની કલમ-૪, ૬, ૧૭ મુજબનો ગુનો નોંધી ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયારની ધરપકડ કરેલ હતી જયારે આરોપી જાનનાથ સોરમનાથને નાસતો ફરતો બતાવેલ અને પુરતો પુરાવો જણાતા આરોપીઓ સામે નામ.કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ.સદરહુ કેસ મોરબીના એડી.ડિસ્ટ્રી.જજ સાહેબની કોર્ટમાં ચાલેલ અને આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર.અગેચાણીયા રોકાયેલા હતા.

આ કેસ ચાલતા તે દરમ્યાન આરોપીએ પોતાના એડવોકેટ મારફત નામ. ગુજરાત હાઈકોર્ટમાં બી.એન.એસ.એસ.ની કલમ-૫૨૮ હેઠળ કન્સાઈટ કવોસીંગ પીટીશન ફાઈલ કરેલ. નામ.ગુજરાત હાઈકોર્ટે કેસની હકીકતો તથા ફરીયાદીનુ સોંગદનામુ સમગ્ર બાબતો વંચાણે લીધા બાદ બંને પક્ષકારોની રજુઆતો ધ્યાને લઈ હવે બંને પક્ષકારો વચ્ચે કોઈ તકરાર ન હોય અને સમગ્ર સમાજનુ હિત ધ્યાને લઈ નામ.ગુજરાત હાઈકોર્ટે ગીયાનસીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ એન્ડ રીર્પોટેડ, મદન મોહન વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ, નીખીલ મર્ચન્ટ વિ. સી.બી.આઈ રીર્પોટેડ અને નરેન્દ્રશીંગ વિ. સ્ટેટ ઓફ પંજાબ રીર્પોટેડ વીગેરે જજમેન્ટ ટાંકી મોરબી એ ડિવી.માં થયેલ ફરીયાદ તથા તમામ પ્રોસીડીંગ રદ કરવાનો હુકમ કરેલ અને આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપીઓ તરફે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ સાવન ડી.મોધરીયા તથા મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા




Latest News