મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામ પાસે બની રહેલ નમો વન નું નામ ન બદલાઈ તો સીએમની હાજરીમાં વિરોધ કરવાની કોંગ્રેસની ચીમકી


SHARE







મોરબીના જોધપર ગામ પાસે બની રહેલ નમો વન નું નામ ન બદલાઈ તો સીએમની હાજરીમાં વિરોધ કરવાની કોંગ્રેસની ચીમકી

મોરબીના જોધપર ગામ પાસે નમો વન આકાર લઈ રહ્યું છે. જેને લઈને અત્યારથી જ વિવાદ શરૂ થઈ ગયો છે કેમકે ગાયોના રખરખાવ માટે રજવાડાએ આપેલ જમીન ઉપર વૃક્ષારોપણ કરીને વન બનાવવામાં આવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ તેના નામકરણ સામે કોંગ્રેસને વાંધો લઈને આ જગ્યાને રજવાડાના નામ સાથે જોડીને નામ આપવામાં આવ્યા અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

મોરબીના રાજવી પરિવાર દ્વારા પાંજરાપોળની ગાયોના રખરખાવ અને નિભાવ માટે થઈને કુલ મળીને 2300 વીઘા જેટલી જમીન પાંજરાપોળ ટ્રસ્ટને આપવામાં આવી હતી જે પૈકીની 1100 વીઘા જેટલી જમીન મકાનસર પાસે આવેલ છે અને 1200 વીઘા જેટલી જમીન મોરબી તાલુકાના જોધપર ગામ પાસે નજીક આવેલ છે અને આ 1200 વીઘા જમીન ઉપર હાલમાં વૃક્ષારોપણ ચાલી રહ્યું છે અને દરમિયાન થોડા સમય પહેલા ત્યાં યોજાયેલ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ જગ્યાને નમો વન નામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી 17 મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મોરબીમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે અને તેઓની હાજરીમાં નમો વન દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ચ્યુઅલ અર્પણ કરવામાં આવનાર છે.

ત્યારે પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે અને આજે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેને કહ્યું હતું કે વર્ષો પહેલા રજવાડાએ ગાયો માટે જે જમીન આપી હતી ત્યાં વૃક્ષારોપણ કરીને વન બનાવે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ ત્યાં જે નામકરણ આપવાની વાત ચાલી રહી છે તેની સામે વાંધો છે અને તે જગ્યા ઉપર જે વન બને તેને રજવાડાનું નામ આપે અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપે તેવી માંગ કરવામાં આવી છે અને જો કોંગ્રેસની માંગણીને ધ્યાનમાં રાખીને નામકરણમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં જ્યારે કાર્યક્રમ હશે ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી ઉતારી છે આ તકે મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કાલરિયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News