મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે


SHARE













મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે

સમગ્ર રાજપૂત સમાજના ઉત્કર્ષ માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કામ કરવામાં આવે છે તેવામાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વર્ષ દરમિયાન કરાયેલા બધા કાર્યોની સમીક્ષા કરવા માટે અને નવા વર્ષના કાર્યોના આયોજન માટે દર વર્ષે પ્રદેશ કક્ષાએ અને જીલ્લા કક્ષાએ કાર્યકર્તા શિબિરનું આયોજન કરવામાં આવે છે. દરમ્યાન ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ખાતે આગામી તા. 14 ને રવિવારે સવારે 9 થી બપોરના 2 સુધી મોરબી જીલ્લા કાર્યકર્તા શિબિરનું આયોજન કર્યું છે.

આ શિબિરમાં પહેલા આવેલા લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યાર બાદ ગત વર્ષના કાર્યોની માહિતી આપીને આગામી વર્ષમાં કરવાના કામોની ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત  યુવા પાંખ અને મહિલા સંઘના કાર્યોની ચર્ચા કરવામાં આવશે ત્યાર બાદ કાર્યકર્તા ઘડતર, નવા કાર્યકર્તાઓનું નિર્માણ તેના વિષે ડો. જયેન્દ્રસિંહ જાડેજા માર્ગદર્શન આપશે અને ઈતિહાસ જ્ઞાન કસોટી-2025 ના વિજેતાઓનું સન્માન કરશે અને બાદમાં પ્રદેશ ટીમ સાથે પ્રશ્નોતરી, પ્રદેશ હોદેદારોનું માર્ગદર્શન અને દોઢ વાગ્યે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, ઈતિહાસ જ્ઞાન કસોટીના વિજેતાઓને રોકડ ઇનામ મોટા ખીજડીયા વાળા રૂપસિંહ ચંદુભા ઝાલા (મહામંત્રી, ટંકારા તાલુકા ભાજપ ) તરફથી આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમે 5100, બીજા ક્રમે 3100 અને ત્રીજા ક્રમે 2100 ઈનામ આપવામાં આવશે.




Latest News