મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો


SHARE











ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો

ટંકારાના વાછકપર બેડી ગામમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? તેમ કહીં યુવાન પર લાકડી વડે હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત જયદીપ વઢુકિયાને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો.

આ અંગેની માહિતી મુજબ, જયદીપ દિલીપભાઈ વઢુકિયા (ઉંમર વર્ષ 21, રહે.વાછકપર બેડી ગામ, તાલુકો ટંકારા જિલ્લો મોરબી) ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ પોતે વાછકપર બેડી ગામમાં હતા ત્યારે સામેવાળા હમીર અને જય તથા જેન્તી તેમજ તેની સાથેના માણસોએ ઝઘડો કરી લાકડી વડે માર મારતા માથે અને શરીરે મુંઢ ઇજા થતાં અર્ધ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ. જયદીપે જણાવ્યું કે, ચાર પાંચ ખેડૂતને વાડીએ જવાનો રસ્તો હોય.

જેમાં બાવળીયા ઉગી ગયા હોય, રસ્તો સાફ કરવા જેસીબી મંગાવ્યું હતું. પોતે જેસીબી લઈ રસ્તો સાફ કરતો હતો ત્યાં જ રસ્તા કાંઠેની વાડીના ખેડૂત અને તેના ગામમાં જ રહેતા સામેવાળાઓ ત્યાં આવી ગયા હતા અને ઝઘડો કરી માર માર્યો હતો.






Latest News