મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત


SHARE











મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત

મોરબીના લાલપર ગામ પાસે ઓનેસ્ટ હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે આધેડનું મોત નીપજયું હતું જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા રાજકુમાર રાજારામ વર્મા (52) નામના આધેડ ગત તા. 13/9 ના રોજ લાલપર નજીક આવેલ ઓનેસ્ટ હોટલ સામે હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

એક જ પરિવારના 6 લોકો સારવારમાં

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ (40), તેના પત્ની હેમાબેન સુરેશભાઈ રાઠોડ (36), બીકુબેન સુરેશભાઈ રાઠોડ (18), નેહલબેન સુરેશભાઈ રાઠોડ (16), સિધ્ધરાજ સુરેશભાઈ રાઠોડ (10) અને પ્રિયાંશી સુરેશભાઈ રાઠોડ (3) નામના એક જ પરિવારના છ વ્યક્તિઓને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્પ્રે છાંટી દીધો હતો જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા રામભાઈ જીવાભાઇ ડાંગર (51) નામના આધેડ ચાચાપર રામેશ્વર ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને કૂતરું આડુ આવતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેઓને ઇજા થયેલ હતી જેથી મોરબીમાં તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News