મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના મકનસર ગામે સ્મશાનમાં વૃદ્ધે અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈને વૃદ્ધ આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકાનસર ગામે બેંક ઓફ બરોડા વાળી શેરીમાં રહેતા શંકરભાઈ સવાભાઈ સત્રોટીયા (૬૨) નામના વૃદ્ધે કોઈપણ કારણોસર મકનસર ગામે આવેલા સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની દિગ્વિજયસિંહ લાલુભા ઝાલા (૩૭) રહે. ભક્તિનગર મકાનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બાળક સારવારમાં

વાંકાનેર પાસેના માટેલ ગામે પંચમુખી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારનો જય વિશાલભાઈ કશ્યપ નામનો દોઢ વર્ષનો બાળક ઘર પાસે હતો ત્યાં સાપ કરડી ગયો હોય મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અનસોયાબેન નાનાલાલ પંડ્યા નામના ૯૮ વર્ષના વૃદ્ધા જેતપુર ગામે બાઈકમાં પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા તેઓ પડી ગયા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે કોઠારીયા રોડ ઉપર રહેતા સિકંદરભાઈ મીનાપરા નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબીના ઢુવા ગામ પાસે આવેલ માલધારી હોટલ ખાતેથી હાલ બેભાન હાલતમાં મળી આવેલો હોય તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. જ્યારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના રીમીબેન ઉસ્માનભાઈ બાદી નામના ૬૫ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે કેરાળા ગામ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.




Latest News