મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓનું આગેવાનોના હસ્તે કરાયું સન્માન
મોરબી યોગેશ્વર સોસાયટીનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશનને, દિવાલ પાડવા મુદ્દે નોંધાઇ ફરિયાદ
SHARE







મોરબી યોગેશ્વર સોસાયટીનો મુદ્દો પહોંચ્યો પોલીસ સ્ટેશનને, દિવાલ પાડવા મુદ્દે નોંધાઇ ફરિયાદ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન હોય અને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોય તેવા મુદ્દે સોસાયટીના લોકો દ્વારા એકત્ર થઈને બાજુની દિવાલ પાડી દેવામાં આવી હતી.જે મુદ્દે હાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દિવાલ તોડીને રૂપિયા ૬૦,૦૦૦ ની નુકસાની કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવાયેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે હાલમાં જાહીરભાઈ બદરૂદ્દીનભાઈ લોખંડવાલા વોરા (૪૯) રહે.એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડ વાળાએ અનિલભાઇ બાબુભાઈ ઉઘરેજા, ભરતભાઇ ઉઘરેજા અને વિમલભાઇ હળવદિયા રહે.યોગેશ્વર સોસાયટી સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓની માલિકીની જમીનમાં બે દીવાલો બનાવવામાં આવેલી હતી.તે દીવાલને તોડી પાડવામાં આવી હતી અને તેઓને રૂપિયા ૬૦,૦૦૦ ની નુકસાની કરવામાં આવેલ છે.હાલ આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
યુવાન સારવારમાં
મોરબીના મહેન્દ્રપરા પાસે આવેલ કડિયા શેરી ખાતે રહેતા કલ્પેશભાઈ વિનોદભાઈ ડાંગર નામનો ૩૨ વર્ષનો યુવાન સુપર ટોકીઝ નજીકથી બાઈક લઈને પસાર થતો હતો ત્યાં વાહન સ્લીપ થવાથી બનેલ અકસ્માત બનાવમાં ઈજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામના પાટીયે ઓવરબ્રિજ પાસે બન્યો હતો જેમાં રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં મનોજભાઈ જયસિંહભાઈ વાઘેલા (ઉંમર ૩૨) રહે.ગણેશ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાછળને ઈજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ ઘુંટુ ગામે બહુચર માતાના મંદિર પાસેથી ૧૦૮ વડે બેભાન હાલતમાં મીનાદેવી નામના ૩૪ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જેને પગલે તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી.
મહીલા સારવારમાં
મોરબીના ઘાંટીલા ગામના વનિતાબેન નંદલાલભાઈ વિડજા નામના ૫૪ વર્ષીય મહિલાને સારવાર માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ઘાંટીલા ગામે સ્વામિનારાયણ મંદિર નજીકથી બાઇકમાં બેસીને તેઓ જતા હતા ત્યારે અકસ્માત બનાવમાં ઈજા થયેલ હોય તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ નજીકના તરઘડી ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકર લાગતા સંજય રાયધનભાઈ નાકડા (૩૧) રહે.લતીપુર ધ્રોલ ને અત્રેની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
રાજકોટ હાઇવે લજાઈ ચોકડીએ મારામારીના બનાવમાં ઈજા થતા અનિલ પ્રવીણભાઈ ગણેશિયા (૩૦) રહે.કાલિકા પ્લોટ ને અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વોરાવાડ નજીક રહેતા કીર્તિબેન મૂળજીભાઈ જોબનપુત્રા (ઉમર ૫૨) ને અમરસરથી વાંકાનેર બાજુ જતા સમયે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા
