વાંકાનેર-ટંકારા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા
મોરબીમાં યોજાયેલ ઔદ્યોધિક ભરતી મેળામાં ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરાઇ
SHARE
મોરબીમાં યોજાયેલ ઔદ્યોધિક ભરતી મેળામાં ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરાઇ
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઇ.ટી.આઇ. ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં અદાણી ગ્રુપની જુદી-જુદી કંપનીઓની અંદાજે ૨૩૫ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ભરતીમેળામાં મોરબી અને ગુજરાતનાં અલગ–અલગ જિલ્લાઓમાંથી કુલ ૪૮૩ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.
સૌપ્રથમ અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા જુદી જુદી જગ્યાઓ માટે જરૂરી લાયકાત, પગાર તથા સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રોજગાર અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અને અદાણી કંપની વિશે અને ભવિષ્યના અલગ અલગ કાર્યક્ષેત્ર વિશે વિદ્યાર્થીઓને ઇન્ટારવ્યું આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજગારવાંચ્છુઓની ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે કુલ ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૫ ઉમેદવારોને જિલ્લા રોજગાર અધિકારીનાં હસ્તે સિલેકશન લેટર આપવામાં આવ્યા હતા. અદાણી કંપનીના અધિકારીએ ગુજરાત સરકાર તથા જિલ્લા રોજગાર કચેરી મોરબીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને પસંદગી પામેલ ઉમેદવારોએ ગુજરાત સરકારનો અભાર વ્યક્ત કર્યો હતો. અને જિલ્લા રોજગાર અધિકારી એમ.એન.સવનિયાએ જણાવ્યું હતું કે, અગામી સમયમાં પણ વિવિધ નોકરીદાતાઓ માટે જુદા જુદા સ્થળોએ ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રોજગાર કચેરી મોરબી તેમજ આઇ.ટી.આઇ મોરબીના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી