મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત 


SHARE













મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત 

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને તે ટ્રક સવારે ચાલુ કરતા સમયે અચાનક ભાગવા લાગતા અને તેને રોકવા જતા બે ટ્રકની વચ્ચે દબાઈ જવાથી રાજસ્થાની યુવાનનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યુ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની પાસે ભૈરવનાથ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને આજે તા.૨૬-૯ ના સવારે સાતેક વાગ્યે તે ટ્રક મરણ જનાર પ્રહલાદભાઈ છેતમલ ગુર્જર (ઉંમર ૩૨) નામનો યુવાન ઉઠીને પોતાનો ટ્રક ચાલુ કરવા ગયો હતો ત્યારે અચાનક ટ્રક ભાગવા લાગતા ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા અને આ બે ટ્રકોની વચ્ચે દબાઈ જવાથી પ્રહલાદભાઈ છેતમલ ગુર્જર (૩૨) નામના યુવાનનું મોત થયું હોય તેના ડેડબોડીને હાલ અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.જેથી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી રાજપર ગામ જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા રમાબેન રતિભાઈ મારૂ (૧૭) રહે. રાજપર તા.મોરબીને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ પાસેની જવાહર સોસાયટી ખાતે રહેતા વિવેકભાઈ જીવરાજભાઈ પસાડિયા નામના ૧૮ વર્ષના યુવાનને સાંજે છએક વાગ્યે તેના ઘર નજીક છરી લાગતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News