મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામ તરફ જવાનો નવો બનાવેલ રોડ ભારે વાહનો દોડતા હોવાથી તૂટી ગયો !


SHARE













મોરબીના પાનેલી ગામ તરફ જવાનો નવો બનાવેલ રોડ ભારે વાહનો દોડતા હોવાથી તૂટી ગયો !

મોરબીના પાનેલી ગામ તરફ જવાનો નવો રોડ બનાવવામાં આવેલ છે જો કે, વાંકાનેરના સરતાનપર ગામ તરફનો રોડ છેલ્લા દોઢેક મહિનાથી ગેરકાયદે રીતે સંપૂર્ણ બંધ કરી નાખ્યો છે જેથી કરીને ભારે વાહનો હાલમાં નવા રોડ ઉપર દોડી રહ્યા છે જેથી કરીને નવો બનાવેલ રોડ તૂટી ગયો છે માટે ગામના સરપંચ સહિતના લોકોએ કલેક્ટરને સોશ્યલ મીડિયા મારફતે ખુલ્લો પત્ર લખેલ છે જેમાં ગેરકાયદે બંધ કરેલ રોડ ખોલવા માટેની અને તૂટી ગયેલ રોડ ઉપર ડામર પાથરવાની માંગ કરી છે અને જો રજૂઆતને ધ્યાને લઈને કામ નહીં કરે તો રસ્તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના પાનેલી ગામના સરપંચ ગૌતમ કરમશીભાઈ હડીયલ અને ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેરના સરતાનપર ગામ તરફનો રોડ છેલ્લા દોઢેક મહિનાથી ગેરકાયદે રીતે સંપૂર્ણ બંધ કરી નાખ્યો છે. રોડ બંધ થવાથી ઔધોગિક એકમો માટે માલસામાનનું પરિવહન કરતા ટ્રક ટ્રેઈલર, ઓવર લોડ હાઈવા ટ્રક પાનેલી ગામના રોડ પરથી પસાર થઈ રહ્યા  છે જેથી કરીને પાનેલી રોડ જે ટીપટોપ કંડીશનમા હતો તે રોડ દોઢ મહિનામા ભારે વાહનોની અવરજવરના લીધે તૂટી ગયેલ છે. અને રોડ ઉપર સતત ધુળની ડમરીઓ ઉડી રહી છે. રોડ તુટવાથી લોકો હેરાન થઈ રહ્યા છે અને સરકારને કરોડો રૂપિયાની નુકસાની થયેલ છે. હાલમાં પાનેલી ગામની ગૌચર જમીનમાંથી ગેરકાયદે સીસી રોડ બનાવવામા આવ્યો છે. આ રોડ બંધ કરવા ગામ લોકો તૈયાર છે. અને સરતાનપર રોડને ગેરકાયદે બંધ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. હલમ પાનેલી રોડ ગેરીટી પિરિયડમા હોય તાત્કાલિક નવેસરથી નેશનલ હાઇવેથી પાનેલી ગામ સુધી ડામર પાથરી નવો રોડ બનાવવામાં આવે તેની માંગ કરેલ છે. અને જો આ રજુઆતને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના લોકો ગમે ત્યારે પાનેલી રોડ ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.




Latest News