મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો


SHARE













મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ત્રણ દિવસીય રંગરાત્રિ કાર્યક્રમનું રાધે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની મોજ કરી હતી. ત્યારે ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો, ઝગમગતા આભૂષણો સાથે ગરબા રમવા માટે આવ્યા હતા.

પ્રથમ દિવસે નવયુગ પ્રેપ સેક્શનના નાનકડા સ્ટુડન્ટ્સ તથા તેમના પેરેન્ટ્સે મસ્તીભેર ગરબે રમ્યા હતા અને નાનકડા બાળકોપેરેન્ટ્સની સાથે ગરબે રમવાની મજા કરી હતી આ તકે દરેક બાળકને ગિફ્ટ આપવામાં આવી હતી. બીજા દિવસે નવયુગ કોલેજ અને સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન ધમધમતું બનાવી દીધું હતું અને સ્ટેજ પરથી ગરબા  વાગતા જ ખેલૈયાઓ ગરબે ઘૂમી જૂમી ઉઠયા હતા. આ કાર્યક્રમમાં પણ પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન અને  જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા. અને ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવી ધમાલ મચાવી દીધી કે ગરબા ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબે રમવા માટે આવ્યા હતા અને ગરબાની ધૂમ મચાવી હતી. ત્યાર બાદ વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા અને ત્રણેય દિવસના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનો સતત ઉત્સાહ અને માર્ગદર્શન ખેલૈયાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. આ તકે પી.ડી. કાંજીયાજણાવ્યું હતું કે  “વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો એ જ અમારો સફળ કાર્યક્રમ છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ રંગરાત્રિ માત્ર ગરબા કાર્યક્રમ ન રહી, પરંતુ વિધાર્થીઓમાં સંસ્કૃતિ, ઉમંગ અને એકતાનો અનોખો ઉત્સવ બની રહ્યો હતો.




Latest News