મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો


SHARE













મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ત્રણ દિવસીય રંગરાત્રિ કાર્યક્રમનું રાધે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની મોજ કરી હતી. ત્યારે ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો, ઝગમગતા આભૂષણો સાથે ગરબા રમવા માટે આવ્યા હતા.

પ્રથમ દિવસે નવયુગ પ્રેપ સેક્શનના નાનકડા સ્ટુડન્ટ્સ તથા તેમના પેરેન્ટ્સે મસ્તીભેર ગરબે રમ્યા હતા અને નાનકડા બાળકોપેરેન્ટ્સની સાથે ગરબે રમવાની મજા કરી હતી આ તકે દરેક બાળકને ગિફ્ટ આપવામાં આવી હતી. બીજા દિવસે નવયુગ કોલેજ અને સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન ધમધમતું બનાવી દીધું હતું અને સ્ટેજ પરથી ગરબા  વાગતા જ ખેલૈયાઓ ગરબે ઘૂમી જૂમી ઉઠયા હતા. આ કાર્યક્રમમાં પણ પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન અને  જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા. અને ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવી ધમાલ મચાવી દીધી કે ગરબા ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબે રમવા માટે આવ્યા હતા અને ગરબાની ધૂમ મચાવી હતી. ત્યાર બાદ વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા અને ત્રણેય દિવસના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનો સતત ઉત્સાહ અને માર્ગદર્શન ખેલૈયાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. આ તકે પી.ડી. કાંજીયાજણાવ્યું હતું કે  “વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો એ જ અમારો સફળ કાર્યક્રમ છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ રંગરાત્રિ માત્ર ગરબા કાર્યક્રમ ન રહી, પરંતુ વિધાર્થીઓમાં સંસ્કૃતિ, ઉમંગ અને એકતાનો અનોખો ઉત્સવ બની રહ્યો હતો.




Latest News