મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો


SHARE







મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુ. દ્વારા ત્રિદિવસીય રંગરાત્રિ નવરાત્રી મહોત્સવ ઉજવાયો

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ત્રણ દિવસીય રંગરાત્રિ કાર્યક્રમનું રાધે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાની મોજ કરી હતી. ત્યારે ખેલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો, ઝગમગતા આભૂષણો સાથે ગરબા રમવા માટે આવ્યા હતા.

પ્રથમ દિવસે નવયુગ પ્રેપ સેક્શનના નાનકડા સ્ટુડન્ટ્સ તથા તેમના પેરેન્ટ્સે મસ્તીભેર ગરબે રમ્યા હતા અને નાનકડા બાળકોપેરેન્ટ્સની સાથે ગરબે રમવાની મજા કરી હતી આ તકે દરેક બાળકને ગિફ્ટ આપવામાં આવી હતી. બીજા દિવસે નવયુગ કોલેજ અને સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન ધમધમતું બનાવી દીધું હતું અને સ્ટેજ પરથી ગરબા  વાગતા જ ખેલૈયાઓ ગરબે ઘૂમી જૂમી ઉઠયા હતા. આ કાર્યક્રમમાં પણ પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન અને  જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા. અને ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવી ધમાલ મચાવી દીધી કે ગરબા ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબે રમવા માટે આવ્યા હતા અને ગરબાની ધૂમ મચાવી હતી. ત્યાર બાદ વિવિધ કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા અને ત્રણેય દિવસના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનો સતત ઉત્સાહ અને માર્ગદર્શન ખેલૈયાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો. આ તકે પી.ડી. કાંજીયાજણાવ્યું હતું કે  “વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો એ જ અમારો સફળ કાર્યક્રમ છે.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ રંગરાત્રિ માત્ર ગરબા કાર્યક્રમ ન રહી, પરંતુ વિધાર્થીઓમાં સંસ્કૃતિ, ઉમંગ અને એકતાનો અનોખો ઉત્સવ બની રહ્યો હતો.






Latest News